મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન નીચે આવી જતા આધેડનું મોત
મળતી વિગત મુજબ મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન વાંકાનેર થી પરત ફરી રહી હતી તે દરમિયાન મોરબી પાડા પુલ પર ટ્રેન હડફેટે આવી જતા એક આધેડનું મૃત્યુ થયું છે.બનાવની જાણ થતા મોરબી રેલ્વે પોલીસ ધટના સ્થળે દોડી જઈને મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.જોકે આ બનાવ આપધાત છે કે અકસ્માત તે જાણી શકાયું નથી.મોરબી રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

No comments:
Post a Comment