માઈગ્રેનના દર્દીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો
માઇગ્રેન એક સામાન્ય બીમારી છે જે મગજમાં નર્વનો સોજો સર્જે છે. તેનો દર્દ બહુ તીવ્ર હોય છે જે પુરુષોની સરખામણીએ મહિલાઓને વધુ પ્રભાવિત કરે છે. માઇગ્રેનનો હુમલો થતાં ઘણી એવી બાબતો છે જે ધ્યાનમાં રાખવા જેવી છે. જો તમે પણ આ બીમારીમાંથી પસાર થતા હોવ તો પ્રસ્તુત છે તમારા માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો.
આ બાબતો ધ્યાનમાં રાખો -
1. એવાદર્દીજેમનેમાઇગ્રેનની બીમારી છે તેમણે ડૉક્ટર દ્વારા બતાવવામાં આવેલી દવાઓ નિયમિત રૂપે લેવી જોઇએ.
2. મિનિટે-મિનિટે બદલાતા વાતાવરણથી માઇગ્રેનના દર્દીઓએ હંમેશા દૂર રહેવું જોઇએ અને પોતાનો ખ્યાલ રાખવો જોઇએ.
3. ઘરેકોઇપણપ્રકારનો ઇલાજ કરવાનું ટાળવું જોઇએ.
4. તમનેમાલુમહોવુંજોઇએકેક્યારેક-ક્યારેક માઇગ્રેનની બીમારી બહુ વધી જાય છે જેના લીધે મેડિકલ એડવાઇઝ લેવી બહુ જરૂરી છે.
5 સ્ટ્રોન્ગ અત્તર કે પર્ફ્યૂમથી બચો.
6. એવાતનું ધ્યાન રાખો કે તમે 6-8 કલાકની પૂરતી ઊંઘ લો.
7. યોગા, મેડિટેશન અને મોર્નિંગ વૉક જેવી ટેવ પાડો. માઇગ્રેનમાં નિયમિત રૂપે વ્યાયામ કરવો ફાયદાકારક રહેશે.
8. ખોટીદિનચર્યા પણ માઇગ્રેનને વધારી શકે છે. ખાસકરીને ભોજન સમયસર ન ખાવાની ટેવ છોડી દો. માઇગ્રેનનૈ દર્દીઓએ ક્યારેય વ્રત ન રાખવું જોઇએ.
9. દબાણકેસ્ટ્રેસથી માઇગ્રેન વધી જાય છે.
10. જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે હાથમાં છત્રી લો અને સૂરજની સીધી રોશનીથી બચો.
11. માઇગ્રેનનો હુમલો થતાં પેરાસીટામોલ અને એસ્પ્રિનની ટેબલેટ સારી અસર કરે છે. પણ હા, 16 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોએ એસ્પ્રિન ન લેવી.
No comments:
Post a Comment